error: This Content is protected !!

શ્રી ઘેલા સોમનાથ મહાદેવની વિશેષ પૂજા સાથે જલધારાનો શણગાર રાજ્યમાં મેઘરાજા હેત વરસાવે તેવી આજીજી કરી

જસદણ નજીકના પ્રસિદ્ધ યાત્રાધામ ઐતિહાસિક શ્રીઘેલા સોમનાથ દાદાને વિશેષ જલધારા શણગાર અને પૂજા-અર્ચનાનું આયોજન કરવામાં આવ્યું હતું.ચોમાસાની ઋતુને અનુલક્ષીને મંદિરના પૂજારી હસુભાઈ જોષીએ મહાદેવને જલધારાનો વિશેષ શણગાર અર્પણ કર્યો હતો. આ પ્રસંગે શાસ્ત્રોક્ત વિધિ-વિધાન મુજબ મહાદેવની પૂજા-અર્ચના કરવામાં એવી હતી.પૂજારી પરિવાર અને ઉપસ્થિત ભક્તોએ સારે વરસાદ વરસે, ખેડૂતોની ચિંતાનો અંત આવે અને રાજ્યમાં સુખ-સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરી હતી.